વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
"કોઈપણ ક્ષેત્રના કે પ્રદેશના મૂળનિવાસી જેવો આદિકાળ થી કોઈક વિશેષ પ્રદેશ કે વિસ્તારમાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય તેને આદિવાસી કહે છે."
ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
તેમની ભાષા, બોલી , વેશભૂષા, ધાર્મિક વિધિ, તહેવારો , મેળા અને નૃત્યનો આગવું મહત્વ છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 9 ઓગસ્ટ " વિશ્વ આદિવાસી દિવસ "તરીકે જાહેર કરાયો છે .
ભારતમાં વસતા આદિવાસીઓમાં મુખ્યત્વે :-
૧) મોગોલોઈડ
૨)proto australoid
૩) નિગ્રેટો છે.
ગુજરાતમાં વસવાટ કરનાર તમામ આદિવાસીઓમાં સૌથી વધુ સમુદાયની વસ્તી ભીલ સમુદાય ની છે.
આદિવાસી વસતિ:-
વિશ્વમાં આફ્રિકા પછી ભારતમાં આદિવાસી વસ્તી છે વિશ્વની કુલ વસ્તીના 25% ભારતમાં છે.
2011 ની વસ્તી ગણતરી પ્રમાણે આદિવાસી પ્રમાણ ૮.૭ ટકા છે.
જેમાં રાજ્ય મુજબ નાગાલેન્ડમાં ૮૬.૪૭ ટકા અને મેઘાલયમાં ૮૬.૧૫ ટકા મિઝોરમમાં ૯૪.૬૨ ટકા. સૌથી વધુ આદિવાસી વસ્તી હતી .
ગુજરાતમાં 8min ૫૫ ટકા વસતી છે અને કુલ વસ્તીના ૧૪.૪ ટકા છે
ગુજરાતમાં આદિવાસી વિસ્તારો:-
૧) ઉત્તર વિસ્તાર =
બનાસકાંઠા ,સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર
તેમાં ગરાસીયા ,ડુંગરીયા ,ભિલ, નાયકા જેવા આદિવાસીઓ રહે છે.
૨) મધ્ય વિસ્તાર=
પંચમહાલ ,દાહોદ, વડોદરા, છોટાઉદેપુર.
તેમાં નાયક, ભીલ, પટેલીયા રાઠવા જેવા આદિવાસીઓ રહે છે .
૩)દક્ષિણ વિસ્તાર = ભરૂચ, નર્મદા, સુરત ,તાપી ,નવસારી, ડાંગ ,વલસાડ.
જ્યાં ડાંગમાં ૯૪%ટકા વધારે લોકો આદિવાસી રહે છે.
No comments:
Post a Comment